• પેસેન્જરોને બસની બહાર કાઢી સારવાર માટે ખસેડાયા
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • એમ્બ્યુલન્સની 4 ટીમ ઘટનાસ્થળે પહોંચી

રાજ્યમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે શુક્રવારે મોડી સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.

આ અંગેની માહિતી અનુસાર, પાસેથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક અકસ્માત થયો છે. જેમાં એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે અંદર બેઠેલા લોકોમાં બૂમરાણ મચી જવા પામી હતી. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.


અકસ્માત અંગેની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી આવી હતી.જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અક્સ્માતની જાણના પગલે ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.


આ સાથે એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. બસમાં સવાર પેસેન્જરને બહાર કાઢવા માટે એક્ષપ્રેસ હાઇવેની ટીમ કામે લાગી છે. ક્રેઈનની પણ મદદ લેવામાં આવી છે. તેમજ અકસ્માતમાં મૃતકોના નામ દિનેશભાઇ ભાવનીચકર શાહ અને દેવ દેવેન્દ્રભાઇ શાહ છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. 

  • Follow us on: