બોટાદ નગરપાલિકા હદ વિસ્તાર માં આવતા લારી તેમજ પાથરણા રાખી ધંધો કરતા લોકો માટે પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત યોજાયો કેમ્પ. અગાવ 10 હજાર તેમજ 20 હજાર ની લોન મેકવનાર 50 જેટલા લાભાર્થી ઓને મળશે 50 હજાર રૂપિયા. બેન્ક દ્રારા સરળતા થી આપવામાં આવે છે કોઈપણ સિક્યોરિટી વગર લોન લાભાર્થી સહિત અધિકારી દ્રારા યોજના અંતર્ગત ખુશી વ્યક્ત કરી.


બોટાદ નગરપાલિકા હદ વિસ્તારમાં લારી તેમજ પાથરણા રાખી ધંધો કરતા લોકો માટે યોજાયો કેમ્પ કેન્દ્ર સરકાર દ્રારા અલગ અલગ યોજના અંતર્ગત લોકો ને લાભ મળતો હોય છે. ત્યારે બોટાદ નગરપાલિકા દ્રારા સરકાર શ્રી ની પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે. આ યોજના માં નાના પાયે ધંધો શરૂ કરનાર લોકો ને સરકાર શ્રી ના નિયમ મુજબ લોન આપવામાં આવે છે. જેમાં લારી રાખી કોઈપણ ધંધો કરનાર વ્યક્તિ હોય જેમાં શાકભાજી, ફ્રુટ, નાસ્તા તેમજ અન્ય કોઈ વસ્તુ નું વેચાણ કરતા હોય અથવા ઘરે નાના બજેટ માં ખાખરા કે અન્ય કોઈ ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તેવા અરજદાર માટે સરકાર ની પી.એમ.સ્વનિધિ યોજના આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. આ યોજના માં પ્રથમ 10 હજાર અને ત્યારબાદ 20 હજાર ની લોન આપવામાં આવે છે.

10 હજાર ની લોન 12 મહિના માં અને 20 હજાર ની લોન 18 મહિના માં રેગ્યુલર હપ્તા ભરનાર ને 50 હજાર ની લોન કોઈપણ સિક્યોરિટી વગર બેન્ક માંથી સરળતા થી મળે છે જેમાં અગાવ 178 લોકો ને 50 હજાર ની લોન આપવામાં આવી છે અને આજે 50 લોકો ને 50 હજાર ની લોન માટે એકજ જગ્યા પર પોતા નો શુ ધંધો છે તે રજૂ કરવામાં આવેલ તે સમય દરમ્યાન બેન્ક ના મેનેજર,નગરપાલિકા ના ચીફ ઓફિસર તેમજ આ યોજના સાથે જોડાયેલા કર્મચારી હાજર રહી એકજ સ્થળ પર 50 હજાર ની લોન મેળવનાર લોકો ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેન્ક અધિકારી દ્રારા સ્થળ પર રૂબરૂ આવી અને લોન મેળવનાર અરજદાર સાથે વાતચીત કરી સીધી માહિતી મેળવી જેના કારણે અરજદાર લાભાર્થી ને હેરાનગતિ કે ધકા ન થાય તે આયોજન અહીં જોવા મળ્યું. ત્યારે સરકાર ની આ યોજના અંતર્ગત લાભાર્થી ઓ દ્રારા ખુશી વ્યક્ત કરી યોજના ને ખૂબ સારી ગણાવી અને સરળતા થી લોન મળતી હોવા નું આપ્યું નિવેદન તો બેન્ક મેનેજર દ્રારા તેમજ ચીફ ઓફિસર દ્રારા પણ આંયોજના ની માહિતી સાથે ખુશી વ્યક્ત કરી હતી.

  • Follow us on: