- 33 લાખ 48 હજાર કિંમતના સોનાની ભેટ આપી
- મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો દ્રવ્ય
- અગાઉ શિખ માટે સોનાનું દાન કરવામાં આવ્યું હતું
અંબાજી મંદિર અરવલ્લી ગિરિમાળાઓમાં પહાડોમાં આવેલું જગતજનની જગદંબા મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.અંબાજી મંદિર હાલમા 60ફૂટ સુધી સુવર્ણ મંદિર બનવા પામેલ છે અને આ મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો ઉપયોગ થયેલ છે.
સ્વતંત્રતા દિવસના પર્વે રાજકોટના મહિભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનુ સુવર્ણ શિખર માટે ભેટ સ્વરૂપે અર્પણ કરાયું હતું. અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો અલગ અલગ પ્રકારે દાન પણ કરતા હોય છે ત્યારે રાજકોટના માઇ ભક્તે સુવર્ણ શિખર માટે દાન કર્યું હતું.














