બનાસકાંઠાના મુડેઠાં ગામમાં અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું છે,ભાઈ બીજના દિવસે અશ્વ દોડ યોજાય છે,જેમાં 750 વર્ષ જુની પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે.રાઠોડ પરિવારના યુવાનો અશ્વ દોડમાં લે છે ભાગ તેમજ ગામના લોકો જ સંભાળે છે સુરક્ષાની જવાબદારી.હજારોની સંખ્યામાં મુડેઠા ગામમાં ઉમટી પડે છે લોકો.


750 વર્ષથી યોજાય છે અશ્વ દોડ

ભાઈબીજના દિવસે આજે બનાસકાંઠાના મુઠેડા ગામે અશ્વદોડ યોજાઈ છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ નિમિત્તે છેલ્લા 750 વર્ષથી આ અશ્વદોડ યોજાઈ રહી છે. વર્ષોથી બેસતા વર્ષેના દિવસે મુડેઠા ગામના ક્ષત્રિય દરબારો બહેન માટે ચુંદડી લઈને પેપળું ગામ જાય છે. ભાઈબીજના દિવસે ભાઈ બખ્તર પહેરી ઘોડા ઉપર પરત મુડેઠા આવે છે.


રાઠોડ પરિવાર ધારણ કરે છે બખ્તર

દર વર્ષે અલગ અલગ પાટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળુ મુકામે ચુંદડી આપવા જાય છે. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈ બીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહિ પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગમે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારું ઉભરાયું હોય તે માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે.

વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા

ભારતમાં ક્ષત્રીય દરબાર સમાજના લોકો ઈતિહાસ ખુબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા. જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી

  • Follow us on: