- 7થી 8 રખડતા શ્વાન બાળકી પર તૂટી પડયા
- શ્વાનમાં હુમલામાં બાળકીનું ઘટના સ્થળે જ મોત
- જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક
રાજ્યમાં સતત રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. જ્યાં માસુમ બાળકો તેમનો ભોગ બની રહ્યા છે. આ વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રખડતાં શ્વાને વધુ એક જીવ લીધો છે. જેમાં જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં શ્વાને ફાડી ખાધી છે.
જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધી હતી. 7-8 રખડતાં શ્વાન બાળકી પર તુટી પડતાં તેનું સ્થળ પર તડપી તડપીને મોત થયું હતું. જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે,જેને લઇને સ્થાનિકો હેરાન થાય છે.













