શિયાળાની ઋતુ શરૂ થતા જ લોકો જેમ પોષણમાં બદલાવ લાવે છે, તેવી જ રીતે પશુઓ માટે પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને દૂધાળુ પશુઓના પાલકોએ પશુઓના ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આથી પશુઓ બીમાર નહીં થાય અને દૂધ નિયમિત મળતું રહેશે.
દેશના મોટાભાગના ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેડૂતો દૂધાળા પશુઓને પાળવાનું વધુ પસંદ કરે છે. ઠંડીના સિઝનમાં પશુઓની વિશેષ કાળજી રાખવી જરૂરી છે, ખાસ કરીને તેમના ખોરાક પર. ખોરાકમાં ધ્યાન ન આપવામાં આવે તો દૂધાળા પશુઓનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે. પશુઓને ઋતુ અનુસાર, ખોરાકમાં બદલાવ કરવો જોઈએ. સિઝન અનુસાર ખોરાકમાં બદલાવ ન કરવામાં આવે તો પશુઓને બીમાર થવાનો સૌથી વધુ ભય રહે છે.













