જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલામાં 27 લોકોના મોત નિપજ્યાં છે. જેમા ત્રણ ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ છે. આ હૂમલાને પગલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. બેનરો સાથે લોકોએ રોડ પર ઉતરીને વિરોધ કર્યો હતો. આતંકવાદ વિરૂદ્ધ લોકોએ સુત્રોચ્ચાર કર્યા હતાં. આ હૂમલાને લોકો દ્વારા વખોડી નાંખવામાં આવ્યો હતો.


આતંકવાદને નાબુદ કરો જેવા સુત્રોચ્ચાર કર્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં થયેલા હૂમલાનો અમદાવાદમાં વિરોધ થયો હતો. શહેરના ઈસનપુર વિસ્તારમાં લોકો બેનરો સાથે રોડ પર ઉતરી આવ્યા હતાં. પુરૂષો અને મહિલાઓએ ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે તેવા નારા લગાવ્યા હતાં. આતંકવાદને નાબુદ કરો જેવા સુત્રોચ્ચાર કર્યા હતાં. આતંકી હૂમલાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તમામ પ્રવાસીઓને સરકાર પર વિશ્વાસ

બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલાના પગલે ગુજરાતી પ્રવાસીઓ અડગ છે. તમામ પ્રવાસીઓને સરકાર પર વિશ્વાસ છે. ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી છે. તમામ પ્રવાસીઓને વિમાન મારફતે પરત લાવવામાં આવી રહ્યાં છે. સરકારે આ માટે કેટલાક મંત્રીઓને જવાબદારી સોંપી છે. 

  • Follow us on: