ઇસ્કોન બ્રીજ અકસ્માતમાં એક સાથે નવ લોકોને કચડી નાંખી મોતને ઘાટ ઉતારવાના કેસમાં આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલે રેગ્યુલર જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલી અરજીમાં તપાસનીશ અધિકારીએ એફિડેવીટ કરીને આરોપીને જામીન નહીં આપવા માટે વિનંતી કરી છે. જેની સુનાવણી પુરી થતા કોર્ટે તથ્યને જામીન આપવાનો ઈનકાર કર્યો છે.
રફટરના રાક્ષસ તથ્ય પટેલને રાહત આપવાનો ગ્રામય કોર્ટે ઈનકાર કરી દીધો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કહ્યું હતું કે, તથ્ય પટેલને જામીન ન આપી શકાય, અકસ્માતનો સંખ્યમાં સતત વધારો સમાજમાં આવા આરોપી છુટા રહે તો ખોટો મેસેજ જાય માટે તથ્યને જામીન આપવાનો ગ્રામ્ય કોર્ટે ઈનકાર કર્યો છે. ગ્રામય કોર્ટનું અવલોકનતપાસનીશ અધિકારીએ કોર્ટને એફિડેવીટમાં જણાવ્યુ છે કે, આરોપી અકસ્માત કરવાની ટેવવાળો છે. અગાઉ બે અકસ્માતના ગુના આચર્યા હતા. ત્યારબાદ ઈસ્કોન બ્રીજ પાસે અકસ્માત કરીને નવ જણાને મોતને ઘાટ ઉતાર્યા હતા.આ ઉપરાંત આરોપી તથ્ય પટેલને જામીન પર મુકત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી.













