• અમરેલી જિલ્લામાં અરસ પરસ નાયબ મામલતદારોની બદલી
  • તાલુકા મથકે 85 નાયબ મામલતદારોની કરાઈ બદલી
  • હુકમનો તાત્કાલિક અમલ કરવાની સૂચના

અમરેલી કલેક્ટરે  85 નાયબ મામલતદારોની બદલીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. અમરેલી જિલ્લામાં અરસ પરસ 85 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. આ સાથે અમરેલી કલેક્ટરે 85 નાયબ મામલતદારોની બદલીના હુકમનો તાત્કાલિક અમલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લામાં નાયબ મામલતદારોની બદલી માટે આદેશ આપ્યા છે. તાલુકા મથકે 85 નાયબ મામલતદારોની અરસ પરસ બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમરેલી કલેક્ટરે તમામ 85 નાયબ મામલતદારોની બદલીના હુકમનો તાત્કાલિક અમલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

રાજ્ય સરકારે નાણાં વિભાગમાં બદલીઓનો ધમધમાટ શરૂ કર્યો

તો બીજી તરફ લોકસભાની ચૂંટણીઓ પત્યા પછી રાજ્ય સરકારે નાણાં વિભાગમાં બદલીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે નાણાં વિભાગ હસ્તકના 11 અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો છે. આઠ નાયબ વેરા કમિશન કક્ષાના અધિકારીઓની બદલી સાથે બદલી કરી છે. આ ઉપરાંત સરકારે નાયબ રાજ્ય વેરા કમિશનર કક્ષાના 18 અધિકારીઓની પણ બદલી કરી છે.

સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના અધિકારીઓની બદલી-બઢતી

સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના આઠ નાયબ વેરા કમિશનર કક્ષાના અધિકારીઓ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત નાયબ વેરા કમિશનરમાંથી સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી કરવામાં આવી છે. 55 સહાયક રાજ્યવેરા કમિશનરની નાયબ રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે.

ઘણા અધિકારીઓ બદલીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણીઓ હોવાથી આવું નહોતું થઈ શક્યું. જેથી આજે બદલી સાથે બઢતી થતા અધિકારીઓને પણ હાશકારો થવા પામ્યો છે. સરકારે બઢતી અને બદલીનો જે ગંજીપો ચીપ્યો તેના લીધે અધિકારીઓમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. 

  • Follow us on: