- તાલાલામાં 3.5ની તિવ્રતાનો ભુકંપ
- 2.47 કલાકે નોંધાયો ભુકંપનો આંચકો
- તાલાલાથી 13 કીમી દુર કેન્દ્રબિંદુ નોંધાયુ
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે, આ વખતે ગીર સોમનાથના તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અચાનક ભર બપોરે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ફફડાય ફેલાયો છે, આજે બપોરે 2 વાગ્યે 47 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઉપરાંત તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે પણ ભૂકંપના કેટલાક ઝટકા લોકોને અનુભવાયા હતા.
અવારનવાર કચ્છ અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. માહિતી પ્રમાણે, આજે ગીર સોમનાથના તાલાલા-સાસણ ગીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2 વાગ્યેને 47 મિનીટે અહીં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ સિવાય અગાઉ બપોરે 12 વાગ્યે પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. બંન્ને ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિમી દૂર નોર્થ ઈસ્ટ હોવાનું સામે આવ્યું હતું.













