ગુજરાતમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી ગયા છે. લોકો પોતાના જીવનથી કંટાળીને નદી કે કેનાલમાં ઝંપલાવીને પોતાના જીવનનો અંત આણી દેતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ બનાસકાંઠામાં સામે આવ્યો હતો. બનાસકાંટામાં એક યુવકે અગમ્ય કારણોસર નર્મદાની કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી.જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.


યુવકે કેનાલમાં ઝંપલાવ્યું

બનાસકાંઠાના થરાદ વાવ હાઈવે પર નર્મદાની મુખ્ય કેનાલ આવેલી છે. જ્યાં એક યુવકે અગમ્ય કારણોસર હાઈવે પાસેની કેનાલમાં કૂદકો લગાવી દીધો હતો. લોકોએ આ બનાવ પોતાની નજરે જોયો હતો. તેથી તે અંગે સ્થાનિક લોકોએ યુવકે છલાંગ લગાવ્યાની જાણ થરાદ નગરપાલિકાને કરી હતી. જે નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેની સાથે સ્થાનિકોએ પણ પોતાનો સહયોગ આપ્યો હતો.

યુવકની શોધખોળ

જોકે, આ યુવકે છલાંગ કેમ લગાવી તે રહસ્ય હજુ સુધી અકબંધ રહ્યું છે. ફાયર વિભાગ અને નગરપાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચીને આ યુવકને શોધવાનો પ્રયાસ કર્યો હતો.  ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, નર્મદાની મેઈન કેનાલમાં ઘણા લોકોએ કૂદીને પોતાના જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે.


  • Follow us on: