બનાસકાંઠાના ધાનેરામાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. સામરવાડા ગામના સરપંચ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પોલીસ ધટના સ્થળે આવી હતી. અને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ સમગ્ર મામલે પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરાના સામરવાડાના દલિત સરપંચ પર લધુમતિ સમાજના લોકોએ હુમલો કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચર્ચાનો દૌર શરુ થયો હતો.


સામાન્ય બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ

બનાસકાંઠાના ધાનેરામાં આવેલા સામરવાડા ગામમાં પંચાયતના કામ બાબતે નિવારણ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જેમાં દીવાલ બનાવવા માટે અસમંજસ સર્જાઇ હતી. દીવાલ બનાવવા અંગે સામાન્ય બોલાચાલી થઇ હતી. પરંતુ આ વાદ-વિવાદમાં ટોળાએ સરપંચ પર હુમલો કરી દીધો હતો. ધાનેરાના સામરવાડાના દલિત સરપંચ પર લધુમતિ સમાજના લોકોએ હુમલો કરતા મામલો વધુ બિચકાયો હતો. સરપંચ પંચાયતની કામગીરી બાબતએ સ્થળ નિરીક્ષણ કરવા જતા સમયે બબાલ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરતા લધુમતી સમાજના લોકોએ સામાન લઇ લીધો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. લધુમતી સમાજના લોકો હાથાપાઇ પર ઉતરી આવતા સામાન્ય વાતે વિવાદનું સ્વરૂપ લીધુ હતુ. સમગ્ર મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. અને પોલીસે આ મામલે તજવીજ હાથ ધરી છે.

વાદ-વિવાદની ચર્ચા

બનાસકાંઠાના ધાનેરામાં સરપંચ પર ટોળાનો હુમલોએ સ્થાનિકો માટે ચિંતાનો વિષય છે. જો આવી સામાન્ય બાબતમાં હુમલાઓ કરવામાં આવતા હશે. તો આગામી સમયમાં ગુનાઓનું પ્રમાણ પણ વધી જશે. પોલીસ માટે શાંતિ જાળવી રાખવી એ મોટો પડકાર સાબિત થશે. હાલ સરપંચ અને ટોળાના હુમલાના બનાવ શાંત છે. ત્યારે આગામી સમયમાં કોઇપણ બનાવ વિસ્તારની શાંતિ નહી ડોહળે તે જરુરી છે. 

  • Follow us on: