સરહદી વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે. આ ગુનાખોરીમાં યુવકો વધુ ભોગ બને છે. આ ગુનાઓના વધતા પ્રમાણ પોલીસ સુરક્ષા પર સવાલ ઉભા કરે છે. ત્યારે શ્રમિક પર જીવલેણ હુમલો કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો છે બનાસકાંઠાના થરાદનો. જ્યાં માં યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ યુવક પર ચપ્પુના ઘા ઝીંકી ઘટના સ્થળેથી ફરાર થયા હતા.


ગુનેગારો બન્યા બેફામ

બનાસકાંઠાના થરાદમાં ગુનાઓનું પ્રમાણ વધતા પોલીસ બેડામાં હલચલ જોવા મળી છે. ત્યારે આ ગુનાઓને ડામવા માટે વિવિધ કાયદાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ સુરક્ષા તંત્ર પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. યુવક પર હુમલાનો મામલો સામે આવતા ચારેય બાજુ ચર્ચાનો દૌર શરુ થયો છે. થરાદમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા શ્રમજીવી યુવક પર ચપ્પાના ઘા મારી હુમલો કરાયો છે. આ હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થયો છે. અને તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હુમલો કરી ઘટના સ્થળેથી ફરાર અજાણ્યા શખ્સો સામે પોલીસે કાર્યવાહી ધરી છે. અને તેમને પકડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ સમગ્ર મામલની તપાસ થરાદ પોલીસ કરી રહી છે. ઘાયલ યુવકને થરાદ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર રિફર કરાયો છે.

પોલીસ કામગીરી પર સવાલ

રાજ્યમાં સબ સલામતીના દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. રાજ્યના મેટ્રો સીટીથી લઇને સરહદીય વિસ્તાર સુધી ગુનાખોરીના વધતા પ્રમાણે ચિંતા અને ડરનો માહોલ પેદા કર્યો છે. રાજ્યમાં વધતા ગુનાઓ પોલીસ કાર્યવાહી સામે પ્રશ્ન કરે છે. તો સ્થાનિકો પણ આ મામલે સતર્ક રહે તે જરુરી છે. 

  • Follow us on: