ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. નાના બાળકોથી લઈને યુવાનોને હાર્ટ સંબંધિત બિમારીઓના લીધે ગમે ત્યારે મોત થઈ જવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.જેના લીધે નાની ઉમરમાં જ યુવાનો મોતને ભેટી જાય છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે બનાસકાંઠામાંથી 2 હાર્ટ એટેકના લીધે મોત થયા છે. જેના લીધે પરિવારમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો.


કાકા-ભત્રીજાને હાર્ટ એટેક આવ્યો

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના લખનાસર ગામે હાર્ટ એટેકની અચરજ પમાડે તેવી ઘટના સામે આવી હતી. 2 કલાકના અરસામાં કાકા-ભત્રીજા બંનેને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં 2 કલાકમાં બંને કાકા ભત્રીજા રતા બારોટ અને તે બાદ કૌટુંબિક ભત્રીજા પરબત બારોટને હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું હતું. કાકા ભત્રીજાને હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

પરિવારમાં શોકનો માહોલ ફેલાયો

એક જ દિવસે પરિવારના 2 લોકોના અચાનક મોત થઈ ગયા હતા. જેના લીધે મૃતકોના પરિજનોમાં અને ગામના લોકોમાં શોકનો માતમ પ્રસરી જવા પામ્યો હતો. ત્યારે સુરતમાં જ એક કાપડના 27 વર્ષીય વેપારીને પણ દુકાનમાં બેઠા હતા. ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. જ્યાં તેમનું મોત થયું હતું. વેપારીનું હાર્ટ એટેકથી મોત થતા તેને હોશમાં લાવવા માટે લોકોએ કોશિશ કરી હતી. પરંતુ યુવાન વેપારીના મોતને લીધે પરિવાર અને આસપાસના દુકાનદારોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.


  • Follow us on: