ભાવનગરના પાલીણાના હસ્તગીરી ડુંગરમાંલાગેલી આગ 72 કલાક બાદ પણ યથાવત છે. ડુંગર પર આગની ઘટનાને લઇ ફાયર-ફોરેસ્ટ વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
પાલિતાણાના હસ્તગીરી ડુંગર અને મહુવા તાલુકાના વાવડી ગામના ડુંગરો છેલ્લા 72 કલાકથી આગની ચપેટમાં છે. ઘટનાસ્થળે ફાયર વિભાગના વાહનો પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરે નહી તે માટે દેશી પદ્ધતીથી આગ ઓલવવાની કામગીરી ચાલી રહ્યાં છે. તેવામાં બંને ડુંગરોમાં લાગેલી આગ કંટ્રોલમાં હોવાનો તંત્રએ દાવો કર્યો છે.













