ભાવનગરના પાલીતાણામાં પ્રેમ સંબંધમાં વિશ્વાસ કેળવી નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.  15 વર્ષીય સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલે સગીરાએ માતાને જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 


મળતી માહિતી મુજબ, પાલીતાણા શહેરમાં એક સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે.  સગીરાને પ્રેમ સંબંધમાં વિશ્વાસ કેળવી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો હતો. સગીરાની તબિયત બગડતાં તેની માતાને જાણ કરી હતી. સગીરાની માતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 15 વર્ષિય સગીરા સાથે નરાધમે એક વર્ષ પેલા મિત્રતા કેળવી હતી. પ્રેમજાળમાં ફસાવતાની સાથે કિશોરી સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા. સમય જતા સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સગીરાની માતાએ ટાઉન પોલીસે શખ્સ નિકુંજ મંગાભાઈ વાળા સાવરકુંડલાના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે પોક્સો સહિત કલમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Follow us on: