- ભાજપના નેતા ગણપત વસાવાનું નિવેદન
- સુરતના વાંકલમાં સ્નેહમિલન સમારોહમાં કર્યું સંબોધન
- કોંગ્રેસને સત્તા પ્રાપ્તિ માટે થનગનતા લોકોનું ટોળું ગણાવી
લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્ય ગણપત વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અને નિવેદન આપતાં કહ્યું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ જ જીતશે. આ સાથે તેમણે કહ્યું કે, 400થી વધુ બેઠકો સાથે ભાજપનો વિજય થશે. પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, જનતા કોંગ્રેસની વિચારધારાને ઓળખી ગઈ છે.
મહત્વનું છે કે સુરતના માંગરોળના વાંકલમાં ભાજપનું સ્નેહમિલન સમારોહ યોજાયું હતું. આ દરમિયાન અનેક દિગ્ગજોની સાથે ધારાસભ્ય ગણપત વસાવા પણ હાજર રહ્યા હતા. આ તરફ ધારાસભ્ય ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અંગે નિવેદન આપ્યું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણપત વસાવાએ કહ્યું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 400થી વધુ બેઠકો સાથે વિજય થશે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને દેશની જનતા ઓળખી ગઈ છે, કોંગ્રેસની કોઈ વિચારધારા નથી, કોંગ્રેસ એટલે માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે ભેગું થયેલું ટોળું છે.













