બોટાદ તાલુકા (શહેર તથા ગ્રામ્ય)નો મે -૨૦૨૫ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ-૨૧/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર-કચેરી બોટાદ ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી/વિભાગને લગત એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારે રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ-૧૫/૦૫/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાક થી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી કરવા મામલતદાર બોટાદ (ગ્રામ્ય) દ્વારા જણાવવામાં આવે છે.


રાણપુરમાં પણ યોજાશે તાલુકા સ્વાગત કાર્યક્રમ

રાણપુર તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ' મામલતદાર કચેરી ખાતે બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૧/૦૫/૨૦૨૫ બુધવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે યોજાનાર છે.રાણપુર તાલુકાનાં જાહેર ફરિયાદ નિવારણ ("સ્વાગત“) કાર્યક્રમમાં રાણપુર તાલુકાનાં નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવાં પ્રશ્નો રજૂ કરી શકાય છે. સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે. આવાં પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારનાં ૧૦-૩૦ કલાકથી સાંજનાં ૬-૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ મામલતદાર રાણપુર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

  • Follow us on: