• રાજકોટથી સોમનાથ જતી કારનો પ્રાણીની અડફેટે અકસ્માત
  • 4થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે જુનાગઢ મોકલાયા
  • પોલીસે અકસ્માતની ઘટનાની વધુ તપાસ હાથ ધરી

જુનાગઢના માળિયાના પાણીધ્રા પાસે અકસ્માતમાં એકનું મોત થયુ છે. જેમાં રાજકોટથી સોમનાથ જતી કારનો પ્રાણીની અડફેટે અકસ્માત થયો છે. 4થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે જુનાગઢ મોકલાયા છે. તથા પોલીસે અકસ્માતની ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

નેશનલ હાઇવે પર ફોર વ્હિલે પલ્ટી મારતાં 1 નું મોત થયુ

માળીયાના પાણીધ્રા પાટિયે નેશનલ હાઇવે પર ફોર વ્હિલે પલ્ટી મારતાં 1 નું મોત થયુ છે. તેમજ 4 ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટથી સોમનાથ તરફ જતી ફોર વ્હિલ આડે પશુ આવી જતા અકસ્માત નડ્યો છે. જેમાં તમામ ઇજાગ્રસ્તોને 108 મારફત કેશોદ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરાયા છે. કેશોદ હોસ્પિટલ ખાતે ડોકટરે રાજકોટના રાજુભાઇ લાલજીભાઇ પરમારનું મોત થયાનું જાહેર કર્યું છે.

અકસ્માતની ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી

અન્ય 4 ઇજાગ્રસ્ત વ્યક્તિઓમાં ધ્રોલના ગોપાલ માધવજી પરમાર, પાંચા હકુભાઇ વરૂ, રાજકોટના ભરત પોપટ રાબડિયા, ખીમજી થોભણ ટારિયાને જુનાગઢ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Follow us on: