- રૂપાલા સામે ચોક્કસ સમાજ વિશો નિવેદનને લઇ ફરિયાદ
- મનસુખ માંડવીયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
- જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી
રાજ્યમાં લોકસભા ચૂંટણી અંગે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ બે ઉમેદવારો દ્વારા આચારસંહિતા ભંગ કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે હવે ચૂંટણી પંચે જીલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે.
એક તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભાજપના બે ઉમેદવારોની જાહેર સભા મુદ્દે વિવાદ સામે આવ્યો છે. જે દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈ ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.













