અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશી આધેડને અંકલેશ્વરની એડીશનલ જિલ્લા એન્ડ સેસન્સ સ્પેશ્યલ પોક્સો કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી તેમજ ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૂપિયા ૭ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.


બાળકીને રમાડવા લઈ ગયો અને દુષ્કર્મ આચર્યુ હતુ

અંકલેશ્વરમાં ગત તા.૧૯ ઓગષ્ટ ૨૦૨૩ ના રોજ અંકલેશ્વરમાં રહેતા અને મૂળ યુપીના ૫૦ વર્ષીય રામુ પ્રભુદયાલ રાજપૂત પાડોશમાં રહેતા પરિવારની સડા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે બાળકીના પરિવારજનોએ રામુ રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની વિવિધ કલમો અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ રામુ રાજપૂતની ધરપકડ કરી હતી.

પુરાવાના આધારે કોર્ટે ફટકારી સજા

અંકલેશ્વરની એડીશનલ જિલ્લા એન્ડ સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.જે કેસ નામદાર એડીશનલ જિલ્લા એન્ડ સેસન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર એડીશનલ જિલ્લા એન્ડ સેસન્સ કોર્ટના જજ એસ.ડી પાંડે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને પુરાવા ઓને ગ્રાહ્ય રાખી રામુ પ્રભુદયાલ રાજપૂતને આજીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધી ની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો સાથે રૂપિયા ૧ લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો.સાથે ગુજરાત વિક્ટિમ કમ્પૅન્સેશન સ્કીમ હેઠળ બાળકીને રૂ.૭લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.


  • Follow us on: