ભાવનગરના સિહોરમાં વધુ એક નશેડી ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂકયા . મોડી રાત્રે સાવરકુંડલાથી અંબાજી જતી બસને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. એક મુસાફરની ફરિયાદના આધારે આ પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. બસમાં મુસાફરી કરી રહેલ એક શખ્સ દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી કે ડ્રાઈવર નશામાં છે અને વારંવાર રોકવા છતા બેફામ રીતે ગાડી હંકારી રહ્યો છે. નાગરિકની ફરિયાદની ગંભીરતાને લઈને પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ કરતા બસને રોકી ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી.
ડ્રાઈવરની બેદરકારી













