- કોરોના વેક્સિનેશનને લઈ આરોગ્યમંત્રીનું નિવેદન
- પીએમ મોદીના નેતૃત્વના કર્યા દિલ ખોલીને વખાણ
- ઋષિકેશ પટેલે સિનિયર અધિકારીઓને આપી પદવી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની વિશેષ ઉપસ્થિતીમાં પબ્લિક હેલ્થ માટે ઉત્તમ વ્યવસ્થા ગોઠવવાના હેતુથી ઈન્ડીયન ઈન્સટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગર ખાતે લિડરશીપ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીના હસ્તે 50 સિનીયર કેડર અધિકારીઓને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી.
લિડરશીપ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરનાર અધિકારીઓને અભિનંદન પાઠવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એક ઉત્તમ લિડરશિપના કારણે કોઈપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થતિમાંથી પણ સરળતાથી બહાર આવી શકાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વના કારણે ભારતે કોવિડ જેવી વૈશ્વિક મહામારીમાં 100 ટકા રસીકરણ કરીને વિશ્વમાં ડંકો વગાડ્યો છે.













