- AMA પ્રમુખની મોટી ચેતવણી
- ડોક્ટરે આપી રોગચાળો વધવાની ચેતવણી
- શ્વસનતંત્રના રોગોનું વધી શકે છે પ્રમાણ
આજે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં માવઠાની અસરના પગલે વરસાદ પણ ખાબક્યો હતો. જો કે હાલમાં રાજ્યમાં શિયાળાની ચાલુ ઋતુમાં વરસાદ વરસતા મિશ્ર ઋતુ સર્જાઈ છે. જેને લઈને ડોક્ટરે રોગચાળો વધવાની ચેતવણી આપી છે.
આ મામલે જાણીતા ડોક્ટર અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. તુષાર પટેલે સંદેશ ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોએ હવેના માહોલમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આવા માહોલમાં મિશ્ર ઋતુની અસર વર્તાશે. જેના લીધે હવે લોકોમાં શરદી, ખાંસી અને શ્વાસના રોગોનું પ્રમાણ વધવાની પૂરી શક્યતાઓ છે. માવઠાની સાથે લગ્ન સીઝન હોવાથી લોકોમાં બહારનું ખાવાનું ચલણ વધે તેવી શક્યતાઓ પણ છે. જેને લઈને પણ ડોક્ટરે ચેતવ્યા હતા.













