• સુરતમા ઝાડા, ઉલટી સહિતના રોગચાળામાં વધારો
  • પાંડેસરાના બાળકનું સારવાર દરમિયાન મોત
  • હજીરામાં 26 વર્ષના યુવકનું તાવ બાદ મોત

સુરત શહેરમાં રોગચારો વકર્યો છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.ઝાડા,ઉલટીના પગલે 6 મહિનાના બાળક સહીત ત્રણના અત્યાર સુધી મોત થયા છે.પાંડેસરામાં રહેતા બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે.હજીરામાં 26 વર્ષય યુવકનું તાવ આવ્યા બાદ થયું મોત,ભેસ્તાનમાં 40 વર્ષીય પુરુષનું ઝાડા ઉલટી બાદ મોત થતા તંત્ર દોડતું થયું છે.

સુરતમાં ઓપીડીની સંખ્યા વધી

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નિકળ્યો છે,ઠેર ઠેર ગંદા પાણી અને કાદવની સ્થિતિના કારણે રોગચાળાએ માથુ ઉચકયું છે,પાણીમાં મચ્છરનો ભરાવનો થવાના કારણે રોગચાળો વધ્યો છે,મહત્વનું છે કે,શહેરના સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે,વરસાદી પાણી ઓસરી ગયા છે પરંતુ ખાડા પડવાના કારણે તેમાં પાણીનો ભરાવો થાય છે અને તેના કારણે રોગચાળો વધી રહ્યો છે,હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં રોજની 150થી વધારે ઓપીડી નોંધાઈ રહી છે.

રોગચાળાથી બચવા શું કરવું

જયારે પણ રોગચાળો ફેલાય અથવા ફેલાવાની શકયતાઓ લાગે ત્યારે રોગચાળાથી બચવા ઘરમાં તેમજ ફળિયામાં સફાઇ રાખવી જોઈએ, ચોખ્ખું પાણી પીવું જોઈએ સાથે સાથે તમને તાવ અને પેટના દુખાવાની સમસ્યા હોય તો ગરમ પાણી પીવું જોઈએ જેના કારણે શરીરનો કચરો શરીરમાંથી દૂર થાય.

સાફસફાઈ કરવામાં આવે છે વરસાદને લઈ

સામાન્ય રીતે વરસાદ બાદ 14થી 20 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ જાગૃત રહી ધરની સાફસફાઈ કરવી જરૂરી છે. મનપા તંત્ર દ્વારા જૂન માસથી રહેણાંક-કોમર્શિયલ મિલકતોમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.


  • Follow us on: