સુરતના રીંગરોડ પર આવેલી શિવ શક્તિ માર્કેટમાં બુધવારે લાગેલી આગ ગુરુવારે મોડી સાંજે કાબુમાં આવી હતી. આ આગામી 500થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી અને જે વેપારીઓને નુકસાન થયું છે તેઓને 11 લાખની FOSTA દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.
સુરતની શિવ શક્તિ માર્કેટમાં બુધવારે લાગેલી આગ સુરત જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર જમાવી ચુકી છે. 854 જેટલી દુકાનોમાંથી 500 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. આ આગના કારણે અનેક વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગમાં વેપારીઓની વ્હારે FOSTA આવ્યું છે. શિવ શક્તિ માર્કેટના વેપારીઓને 11 લાખની FOSTA દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓને સહાય માટે કમીટીની રચના પણ કરવામાં આવી છે. મદદ માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.













