બેંગલુરુમાં ગૌરી લંકેશ હત્યા કેસના આરોપીઓને મુક્ત કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, ગૌરી લંકેશના આરોપીઓનું શાલ અને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા ગૌરી લંકેશની હત્યા કરવામાં આવી હતી. 


લંકેશ હત્યા કેસના આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા

બેંગલુરુમાં આરોપી પત્રકાર ગૌરી લંકેશના કેસમાં ફરી એકવાર ભારતીય સમાજમાં ગંભીર સવાલો ઉભા કર્યા છે. લંકેશ હત્યા કેસના કેટલાક આરોપીઓને મુક્ત કરવામાં આવતા શહેરમાં વિવાદ સર્જાયો હતો. આમાંનો મુખ્ય વિવાદ પરશુરામ વાઘમોર અને મનોહર યાદવને લઈને છે, જેનું શનિવારે કેટલાક હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આરોપીઓનુ શાલ અને માળા પહેરાવી સ્વાગત

આ સ્વાગત સમારંભ વિવાદોનો એક ભાગ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. હિન્દુત્વવાદી સંગઠનોએ આરોપીઓને શાલ અને માળા પહેરાવી સ્વાગત કર્યુ હતુ. આ ઉપરાંત કાલિકાદેવી મંદિરમાં પૂજા ઉપરાંત શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બેંગલુરુની સેશન્સ કોર્ટે તાજેતરમાં ગૌરી લંકેશ હત્યા કેસમાં સામેલ આઠ આરોપીઓને જામીન આપ્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં કર્ણાટક હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ જામીન આપ્યા હતા. આ પછી, 9 ઓક્ટોબરના રોજ, સેશન્સ કોર્ટે જામીન પર રાહત આપી, જે પછી તરત જ 11 ઓક્ટોબરના રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો.

ગૌરી લંકેશ ભારતીય પત્રકારત્વનો અગ્રણી અવાજ હતા

ગૌરી લંકેશ ભારતીય પત્રકારત્વનો અગ્રણી અવાજ હતા. તેમની હત્યાને લઈને દેશભરમાં ખળભળાટ મચી જવા પામી હતી. તે કટ્ટરવાદી હિંદુત્વ વિચારધારાની સખત ટીકા કરતા હતા. 5 સપ્ટેમ્બર 2017ના રોજ તેમના ઘરની બહાર જ તેમની હત્યા કરવામાં આવી હતી. આ મામલે લાંબા સમયથી કાયદાકીય પ્રક્રિયાનો ચાલી રહી છે.

  • Follow us on: