ગીર સેમનાથના ઉના-ગઢડા રોડ પર આગનો બનાવ બન્યો હતો. જેમાં લાઈફ ઇન્શ્યોરન્સની જગ્યાએ આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગનું સ્વરૂપ જોતા જ ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી અને તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ આગમાં મોટી સંખ્યામાં નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.


આગ લાગવાનું કારણ હજુ અકબંધ

ઉના-ગઢ઼ડા રોડ પર આગની ઘટના જોવા મળી હતી. આ ઘટના ભીડવાળા વિસ્તારમાં લાગી હોવાથી આસપાસ નુકસાનનો ભય વધુ રહ્યો હતો. આ આગ કયા કરાણોસર લાગી હતી. તે જાણી શકાયુ નથી. અને કેટલું નુકસાન થયુ છે તે અંગેનો આંકડો પણ સામે આવ્યો નથી. અચાનક લાગેલી આગે અફરા-તફરીનો માહોલ સર્જ્યો હતો. આગની ઘટનાની જાણ કરાતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આગને ભારે જહેમતે લીધી કાબૂમાં

આગની ઘટના બનતા લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે. ત્યારે આ આગ આજુબાજુમાં પ્રસરીને અન્ય નુકસાન કરે તેની ભીતી સેવાતી હોય છે. ગીર ગઢડા રોડ પર આવેલા લાઇફ ઇન્શ્યોરન્સની બાજુના ભાગે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાનો સિલસિલો સતત યથાવત છે. જેના કારણે સંપત્તિને મોટું નુકસાન પણ થઇ રહ્યુ છે. 

  • Follow us on: