રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મૃતદેહ મળી આવવાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે હવે, વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે સેતુબંધ ડેમના કાંઠે પાણીમાં પુરુષનો તરતો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે, સ્થાનિક પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
માહિતી અનુસાર, ગોંડલ તાલુકામાં આજે વહેલી સવારે સેતુબંધ ડેમનાં કાંઠે પાણીમાં પુરુષનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસને કરતા ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરનાં જવાનોએ પુરુષનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો અને સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. આ મામલે, પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મૃતદેહ આશાપુરા ચોકડી પાસે રહેતા લુહાર દામજીભાઇ તુલશીભાઇ રાઠોડ (ઉ.વ. 50) હોવાનો જાણવા મળ્યું છે.













