અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોમાં ગ્રાહક સુરક્ષા જેવી મહત્વપૂર્ણ બાબતે જાગરૂકતા કેળવવા રાજ્ય સરકારની સહાયથી વિવિધ શાળા-કોલેજોમાં કન્ઝ્યુમર ક્લબની સ્થાપના કરવામાં આવે છે.વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય કન્ઝ્યુમર ક્લબ અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉમેર્યું હતું કે, શાળા-કોલેજના માધ્યમથી ગ્રાહક સુરક્ષા બાબતે વધુમાં વધુ પ્રચાર પ્રસાર થઈ શકે તે માટે અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન રૂ. ૧૧.૪૫ લાખના ખર્ચે કુલ ૨૨૯ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે.
શાળાના શિક્ષકો જોડાયા હતા













