ગુજરાત વિધાનસભામાં આજે રજૂ કરાયેલા રાજ્ય બજેટ પર હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોએ કડક પ્રતિક્રિયા આપીને નારાજગી વ્યકત કરી છે. વેપારીઓના દાવા મુજબ રાજ્ય સરકારના આ બજેટમાં હીરા ઉદ્યોગના નાના વેપારીઓ માટે કોઈ ખાસ સહાયની જાહેરાત કરવામાં આવી નથી.
આર્થિક પેકેજની અભાવ
ડાયમંડ વેપારી રાજુભાઈ દાયાણીના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી અનેક વખત આર્થિક સહાય અને પેકેજની રજુઆત કરવામાં આવી હતી, પરંતુ બજેટમાં એ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી."













