જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઇ વ્યકિત દ્વારા કોઇપણ ઇસમને મજૂર તરીકે રાખવામાં આવે ત્યારે આવા ઇસમો અંગેની માહિતી તથા ફોટોગ્રાફ સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે તેમ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.


માલિકે મજૂરનું નામ અને સરનામું પોલીસને આપવાનું રહેશે

જેમાં જે તે માલિકે મજૂરનું નામ અને સરનામું, તેની સાથેના માણસની વિગત, જેને ત્યાં મજૂર કામ કરતા હોય તેમનું નામ અને સરનામું, બાહેંધરી, અગાઉ જ્યાં કામ કરતા હોય ત્યાંના માલિકનું નામ અને સરનામું, વતન અંગે માહિતી વગેરે માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ જાહેરનામુ આગામી ૩૦ જૂન ૨૦૨૫ સુધી લાગુ રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

  • Follow us on: