• ઉપલેટાના રોડ પર ચાલવાની વધુ મુશ્કેલી
  • ખરાબ રસ્તા પર મોટા પથ્થરો નાખવામાં આવ્યા
  • સ્થાનિકોએ રામધૂન બોલાવી કર્યા સૂત્રોચ્ચાર

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તંત્ર દ્વારા સ્થાનિકોને મુશ્કેલીમાં મૂકયા હોય તેવો ઘાટ સર્જાયો છે.ખરાબ રસ્તાને સુધારવાને બદલે રસ્તાની વધતી સમસ્યામાં મસ મોટા પથ્થરો નાખી દઈએ સમસ્યા ઘટાડવાને બદલે વધારવાનું કામ કર્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ સામે આવી છે.તો ગામના સ્થાનિકોએ રામધૂન બોલાવી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો છે.

આ રોડની સ્થિતિ ખરાબ છે

ઉપલેટા શહેરમાં ચોમાસા બાદ ઘણા વિસ્તારોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી છે. આ ખરાબ પરિસ્થિતિમાં શેરી ગલીઓમાં પાણી ભરાવવા, ખરાબ રસ્તા, રસ્તાઓમાં કાદવ-કીચડ, ખાડાને કારણે સ્થાનિક લોકોને હાલ ખુબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ ઉપલેટા શહેરની તો અહીંયા ઉપલેટા શહેરમાં એક એવો પણ વિસ્તાર જોવા મળ્યો છે જેમાં ખરાબ રસ્તાની સમસ્યા ઉદ્ભવી હતી ત્યારે સ્થાનિક લોકોને ઉદભવતી સમસ્યા દૂર કરવા માટે મોરમ પાથરી છે પરંતુ મોરમ પાથરતાની સાથે જ લોકોની સમસ્યા જાણે નગરપાલિકાએ દૂર કરવાને બદલે વધારી દીધી છે.


રોડ પર નાખ્યા પથ્થરો

વરસાદ બાદ ઉપલેટા નગરપાલિકા દ્વારા રસ્તા પર નાખવામાં આવેલ મોરમની સાથે એટલા મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે કે હવે લોકોને ચાલવામાં પણ મોટી તકલીફ પડી રહી છે. આ રસ્તા પર નાખેલા મોટા પથ્થરોના કારણે અહીંયા રહેતા સ્થાનિકો તેમજ અહીંયાથી પસાર થતાં રાહદારીઓના અકસ્માતો સર્જાઇ રહ્યા છે તેમજ અનેક વિવિધ પ્રકારની તકલીફો અને સમસ્યાઓનો સામનો પણ વારો આવ્યો છે. ત્યારે આ પ્રકારની સમસ્યા અને તકલીફોના કારણે સ્થાનિકો એકત્રિત થઈ રોડ પર રામધૂન બોલાવી નગરપાલિકા વિરુદ્ધના સૂત્રોચાર કર્યા હોવાનું સામે આવ્યું છે.

 

  • Follow us on: