કેન્દ્ર સરકારની જુદી જુદી 6 યોજનામાં 95%થી વધુ કામગીરી કરનાર ગ્રામ પંચાયતના સરપંચ અથવા વહીવટદાર દંપતીને 26 જાન્યુઆરીની દિલ્હી ખાતેની પરેડમાં ઉપસ્થિત રહેવા કેન્દ્ર સરકાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં ભાવનગર જિલ્લામાંથી એકમાત્ર માલણકા ગ્રામ પંચાયતના વહીવટદાર દંપતિને નિમંત્રણ મળતા તેઓ આજે દિલ્હી જવા રવાના થયા હતા.
કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનામાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી પોષણ યોજના અને મિશન ઈન્દ્ર ધનુષ સહિત છ યોજનામાં 95 ટકા કામગીરી કરનાર ગ્રામ પંચાયતના સરપંચ દંપતિ અથવા વહીવટદાર દંપતીને 26 મી જાન્યુઆરીમાં દિલ્હી ખાતે પરેડમાં ઉપસ્થિત રહેવા કેન્દ્ર સરકાર દ્વારા નિમંત્રણ પાઠવવાનો અગાઉ પરિપત્ર કરવામાં આવ્યો હતો.













