- જળયાત્રાના અતિથિઓને અપાયું આમંત્રણ
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નીતિન પટેલ રહેશે હાજર
- મેયર સહિત AMCના સત્તાધીશોની ટીમ રહેશે હાજર
ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તો ભાવપૂર્વક રથયાત્રાની તૈયારી કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. એક બાજુ ભવ્ય રથયાત્રા અનોખુ આકર્ષણ જમાવશે તો એકબાજુ મોસાળ પક્ષમાં ભગવાન જગન્નાથજીને આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજાશે. જળયાત્રાનું ખુબજ મહત્ત્વ રહેલુ છે.
જળયાત્રામાં સ્થાનિક ધારાસભ્યો રહેશે હાજર

આ જળયાત્રા પહેલા તેમા ઉપસ્થિત રહેલા અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ સુપ્રસિદ્ધ જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ ,મેયર સહિત AMCના સતાધીશોની ટીમ રહેશે હાજર. જળયાત્રામાં સ્થાનિક ધારાસભ્યો રહેશે હાજર. 108 કળશમાં જળ ભરી લેવાશે જળ નિજ મંદિર. જળયાત્રામાં ભગવાનના ગજવેશના વાઘા કરાયા તૈયાર
જળયાત્રામાં બહારથી આવનાર સાધુ સંતો માટે યોજાશે મંદિરમાં ભંડારો

જળયાત્રાને લઈ ભકતોની અત્યારથી મંદીરમાં ભીડ ઉમટી રહી છે. જળયાત્રામાં બહારથી આવનાર સાધુ સંતોનો યોજાશે મંદિરમાં ભંડારો. અખાડાઓ, સંતો, ભજન ,મંડળીઓ સહિતની મંદિરમાં ચહેલ પહેલ. ભગવાનનો પ્રસાદ લેવાનુ ખુબજ મહત્ત્વ રહેલુ છે.
શું હોય છે જળયાત્રાનું મહત્ત્વ?
ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.