અમદાવાદમાં આજે મહાવીર જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. જૈન સમાજ દ્વારા શહેરમાં મહાવીર જન્મકલ્યાણ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જૈન સમાજ દ્વારા આયોજિત 20 કિલોમીટર લાંબી રથ યાત્રામાં હજ્જારો જૈન લોકો જોડાયા. મહાવીર ભગવાનના સિદ્ધાંતોના પ્રચાર અર્થે આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રામાં લોકોને મહાવીર ભગવાનના મૂળ સિદ્ધાંત 'અહિંસા પરમો ધર્મ અને જિઓ ઓર જીને દો'નો સંદેશ લોકોને આપવામાં આવ્યો.
ભવ્ય રથયાત્રા













