ગુજરાતમાં ગેરકાયદે દબાણો કરીને સરકારી જમીનો પચાવનારા લોકો માટે હાલ કપરો કાળ ચાલી રહ્યો છે. કારણ કે દાદાનું બુલડોઝર રાજ્યના ખૂણે ખૂણે ફરીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી રહ્યું છે. ત્યારે કચ્છના મુદ્રામાં ગેરકાયદે દબાણો હટાવવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
દ્વારકાની સાથે જામનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી ડિમોલિશન કરાઈ રહ્યું છે. તો બીજી તરફ ઉનામાં પણ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. હવે કચ્છના મુદ્રામાં તંત્રની નોટિસ બાદ નાના કપાયા આસપાસના ગેરકાયદે દબાણો હટાવાયા છે. કચ્છના મુદ્રામાં ગેરકાયદે ભંગારના વાડા તોડી પડાયા છે.













