મહેસાણાના ખેરાલુમાં સહકારી મંડળીમાં 47.38 લાખની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. તત્કાલિન મંત્રી જશુ ચૌધરી સામે ઉચાપતની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મંડળીમાં 2020થી 2023 દરમિયાન લાખો રૂપિયાની ઉચાપત થઈ હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉચાપતના કેસમાં તત્કાલિન મંત્રી જશુ ચૌધરી સહિત કૂલ 25 સભ્યો સામે ફરિયાદ નોંધાઈ છે.
તત્કાલીન મંત્રી જશુ ચૌધરી સામે ફરિયાદ













