બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે રોજે-રોજ જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે અરજદારો સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, સરકારી કામ અર્થે આવતાં અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલ હોય તેવા ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
કાયદાનો ભંગ કરશો તો ફરિયાદ નોંધાશે













