રાજકોટ જિલ્લાના ટંકારા પોલીસ મથકના પીઆઈ યુવરાજસિંહ ગોહિલ સામે જુગારધામ પર દરોડા પાડ્યા બાદ ૪૧ લાખથી વધુની લાંચ લેવા સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જાેકે, હાઇકોર્ટે ફરિયાદ રદ કરવા ઇનકાર કર્યો છે. રાજ્યે અરજદારની આ અરજીનો વિરોધ કર્યો હતો. અરજદાર તરફથી એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે, અરજદારે સત્તા હેઠળ એક સ્થળે દરોડા પાડ્યા હતા અને જુગારધામ પકડી પાડ્યું હતું.
પીઆઈ અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાકી છે
પી.આઈ યુવરાજસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ. મહિપતસિંહ સોલંકીને હાજર થવા BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે,જેમાં જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૩૦માં નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન સમક્ષ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૬૨૪૧૦૮૨/૨૦૨૪ B.N.S કલમ ૧૯૯, ૨૩૩, ૨૨૮, ૨૦૧, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૩૦૮(૨), ૩(૫), ૬૧, ૫૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮( સુધારા અધિનિયમ-૨૦૧૮)ની કલમ ૭,૧૨,૧૩(૧)એ તથા ૧૩(૨) મુજબના ગુન્હાના કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ કરવાની બાકી છે.
બે મહિના કરતા વધુ સમયથી પીઆઈ ફરાર છે
તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા નથી. આથી બંને આરોપીઓની વિસ્તૃત તપાસ કરવા તેઓ વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ જજ, સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબીથી સદરહુ ગુનાના કામે BNSS-કલમ-૭૨ મુજબના અલગ-અલગ વોરંટો મેળવી બંને આરોપીઓની તપાસ કરતા/ કરાવતા મળી આવેલા નથી અને ગુનો કરી નાસતા ફરતા હોવાથી બંને આરોપીઓની અટક કરવાની બાકી છે.