• કેટલાક આરોપીઓને ઝડપી પણ લેવામાં આવ્યા
  • પોલીસ કમિશનરે ઘટનાસ્થળે જઈને તપાસ કરી
  •  હોસ્ટેલની સિક્યોરિટીમાં વધારો કરાશે: કુલપતિ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાજ બાબતે ઘર્ષણ બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન સામે આવ્યુ છે. તેમાં જણાવ્યું છે કે હોસ્ટેલમાં ફાળવેલી જગ્યાએ નમાઝ અદા કરી શકાશે. ધાર્મિક લાગણી ના દુભાય તેનું ધ્યાન રખાશે. હોસ્ટેલની સિક્યોરિટીમાં વધારો કરાશે. તથા હોસ્ટેલમાં એક્સ આર્મીમેનની સિક્યુરિટી તરીકે ભરતી કરાશે.

પોલીસ કમિશનરે ઘટનાસ્થળે જઈને તપાસ કરી

બહારના વ્યક્તિઓ માટે પ્રવેશબંધી છે. તેમજ યુનિવર્સિટીએ પગલાં લીધા છે. ત્યારે ગુજરાત યુનિ.ની ઘટના મુદ્દે સુઓમોટો લેવા HCમાં રજૂઆત કરી હતી. તેમાં હાઈકોર્ટે સુઓમોટો પિટિશન લેવા ઈન્કાર કર્યો છે. તેમજ હાઇકાર્ટે જણાવ્યું છે કે કોર્ટનું કામ તપાસ કરવાનું નથી, તપાસનું કામ પોલીસનું છે. આ મુદ્દે પોલીસ તપાસ કરશે. આ જાહેર હિતનો મુદ્દો નથી. પોલીસ કમિશનરે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી.

કેટલાક આરોપીઓને ઝડપી પણ લેવામાં આવ્યા

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાને સુઓમોટો તરીકે લેવા હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ હતી. 20થી 30 વ્યક્તિઓના ટોળાએ વિદેશી વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યાની રજૂઆત છે. હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરાયો છે. આ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કરાર અંતર્ગત અહિ ભણવા આવતા હોય છે. જેમાં કોર્ટે સુઓમોટો પિટિશન લેવા ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું આ મુદ્દે પોલીસ તપાસ કરશે. આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. કેટલાક આરોપીઓને ઝડપી પણ લેવામાં આવ્યા છે કાયદાકીય સવલતોનો ઉપયોગ કરો હાઇકોર્ટે બંધારણીય કોર્ટ છે. 

  • Follow us on: