રાજકોટ ભાજપના રાજકારણમાં મોટા ફેરફાર થયા છે. બે વર્ષથી હાંસિયામાં રહેલા અરવિંદ રૈયાણી સક્રિય થયા છે. અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી છે. ગણેશ મહોત્સવ કાર્યક્રમથી અરવિંદ રૈયાણીની રી-એન્ટ્રી થઈ છે. ભાજપે રૈયાણીને મહત્વની જવાબદારી સોંપી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. મનપા ચૂંટણી પહેલા નેતાઓને સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિસાવદર ચૂંટણીમાં હાર બાદ નેતાઓને સક્રિય કરાયા છે. દિલ્હીમાં મોટા નેતાઓ સાથે રૈયાણીએ મુલાકાત કરી હતી. મુલાકાત બાદ પ્રદેશ ભાજપ તરફથી કરાયા આદેશ છે.


રાજકોટ ભાજપના રાજકારણમાં મોટા ફેરફાર 

પૂર્વ મંત્રી અને બે વર્ષથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા પાટીદાર અગ્રણી અરવિંદ રૈયાણી ફરી સક્રિય થયા છે. હાઈકમાન્ડ દ્વારા રૈયાણીને મહત્વની જવાબદારી સોંપવાની તૈયારી સાથે ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં એન્ટ્રી કરી છે. વિસાવદરની ચૂંટણીમાં આવેલા પરિણામ અને પાર્ટીને નુકસાની સરભર કરવા માટે પાટીદારના યુવા નેતા રૈયાણીને સક્રિય કરવામાં આવ્યા છે. બે વર્ષથી અરવિંદ રૈયાણી અને તેના સમર્થકો સંપૂર્ણ પણે નિષ્ક્રિય જેવા બની ગયા હતા.

 પાટીદાર અગ્રણી અરવિંદ રૈયાણી ફરી સક્રિય થયા 

પહેલા ગાંધીનગર અને બાદમાં દિલ્હી દરબાર ખાતે રૈયાણીએ હાજરી પુરાવ્યા બાદ હાઇકમાન્ડ દ્વારા આદેશ છૂટતા રૈયાણીને માનપાન સાથે આમંત્રણ આપવામાં આવ્યું છે. શહેર ભાજપના સંગઠન પણ છેલ્લા બે વર્ષથી પકડ જમાવનારાની પકડ ઢીલી થવા માંડી છે.આગામી કોર્પોરેશન એન્ડ જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપ નારાજ અને નિષ્ક્રિય નેતાઓને મનાવી સક્રિય કરી રહ્યું છે.


  • Follow us on: