સાબરકાંઠામાં 60 વર્ષ જૂનો જર્જરીત બ્રિજ લોકો માટે જોખમી છે. આ બ્રિજ જર્જરીત હોવા છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બ્રિજ પરથી નિયમિતપણે ત્યાં વાહન અને રાહદારીઓની અવર-જવર રહે છે. લોકોની સલામતીને લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસ એકશનમાં આવી છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ જર્જરીત બ્રિજને લઈને આ પ્રકારની બેદરકારી લોકો માટે વધુ જોખમી બની શકે છે. અને એટલે જ વિજાપુર પોલીસની લાપરવાહી સામે હિંમતનગ ગ્રામ્ય પોલીસે તકેદારીરૂપ પગલા લીધા.


વિજાપુર પોલીસની લાપરહવાહી

વિજાપુર પોલીસની નબળી કામગીરી સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ બાબતે પત્ર લખી જાણી કરી. ગ્રામ્ય પોલીસે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે દેરોલ નજીકની સાબરમતી નદીના બ્રિજ પર લોકોને પ્રવેશ આપવો ના જોઈએ. મહેસાણા સાબરકાંઠા જિલ્લાને જોડતા સાબરમતી બ્રિજને છેલ્લા એક મહિનાથી બંધ કરાયો છે. આ બ્રિજ પર વાહન વ્યવહાર સહિત રાહદારીઓ માટે પ્રતિબંધ છે. છતાં બ્રિજ પરથી અવર-જવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને લઈને વિજાપુર પોલીસ કોઈ નક્કર કામગીરી કરતી નથી. વિજાપુર પોલીસ કોઈને બ્રિજ પરથી પસાર થતા અટકાવી રહી નથી. જે વિજાપુર પોલીસની લાપરવાહી બતાવે છે.

ગ્રામ્ય પોલીસે પત્ર લખી કરી અપીલ

અને એટલે જ હિમંતનગર ગ્રામ્ય પોલીસ એકશનમાં આવી. ગ્રામ્ય પોલીસે આ મામલાની ઉચ્ચસ્તરે જાણ થાય માટે પત્ર લખી વાહન વ્યવહાર સહિત રાહદારીઓને અટકાવવા અપીલ કરી. 60 વર્ષ જુના જર્જરીત બ્રિજ પરથી પ્રસાર થવું વધુ જોખમી છે. ત્યારે ત્યાંથી પસાર થતા ટુ-વ્હીલરથી લઈને ભારે વાહનો એક મોટી દુર્ઘટના સર્જી શકે છે. ફરી વડોદરા બ્રિજ જેવી દુર્ઘટના ના ઘટે માટે જાગૃક ગ્રામ્ય પોલીસએ આ પગલું લીધું છે.  જર્જરીત બ્રિજ પર રાહદારીઓ અને વાનહચાલકોને પ્રવેશ પ્રતિબંધના કાયદાનું વિજાપુર પોલીસ કડકપણે પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

  • Follow us on: