અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા છે. અમદાવાદમાં આવેલ રાજપથના ડિરેક્ટર દિલીપ પટેલ અને તેમના પત્ની મીના પટેલનું મોત થયું છે. એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં આ દંપતીનું મોત થયું છે. આ પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોક સામેલ છે. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ અકસ્માત થયો. બંને પતિ-પત્ની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા.
રાજપથના ડિરેક્ટર દિલીપ પટેલનું નિધન













