અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર લોકોનું દુખ જીવનભર નહી ભૂલાઇ. અમુક મુસાફરો વિદેશમાં રહેતા પોતાના પરિવારને મળવા માટે જઇ રહ્યા હતા. કોઇ સરપ્રાઇઝ આપવા જઇ રહ્યુ હતુ. તો કોઇ કામ માટે વિદેશ રવાના થયુ હતુ. ત્યારે આવો જ કિસ્સો સોજીત્રાના સરદાર પોળમાં રહેતા ભવનેસ પટેલનો સામે આવ્યો છે. તેઓ પોતાની પુત્રીને મળવા માટે લંડન જતા હતા. અને તેમની આ યાત્રા અંતિમ સાબિત થઇ હતી.


પરિવારમાં શોકનો માહોલ

આણંદના પેટલાદના મુસાફરનું અમદાવાદ પ્લેન દુર્ઘટના મોત નિપજ્યુ છે. સોજીત્રા પંથકમાં રહેતા ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. સોજીત્રા સરદાર પોળ વિસ્તારમાં રહેતા ભવનેસ પટેલ ઉર્ફે ભોલાભાઈનુ પ્લેન ક્રેશમાં અવસાન થયુ છે. આ દુર્ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છે. ભવનેસ પટેલ દીકરીને સરપ્રાઈઝ આપવા લંડન જઇ રહ્યા હતા. કારણ કે લંડનમાં તેમની દિકરીનો શ્રીમંત પ્રસંગ યોજાવાનો હતો. આ પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ ઉત્સુક હતા. પરંતુ સમયને અલગ જ કહાની મંજૂર હતી. જેવું લંડન જવા માટે પ્લેન ટેક ઓફ થયુ તેની ગણતરીની ક્ષણોમાં તે કાળને ભેટ્યુ હતુ. જેમાં ભવનેસભાઇ ઉર્ફે ભાલોઆભાઇનું નિધન થયુ હતુ.

દિકરીને આપવાના હતા સરપ્રાઇઝ

આણંદના પેટલાદના ભવનેસભાઇ પોતાની દિકરીને મળવા માટે ઉત્સુક હતા. અને તેમને સરપ્રાઇઝ કરવાના હતા. પરંતુ આ ફ્લાઇટે તેમના પરિવારને જીવનભર માટે દુઃખદ સરપ્રાઇઝ આપી છે. આ દુર્ઘટના કાળા અક્ષરે ગુજરાતના ઇતિહાસમાં લખાશે. અન્ય મુસાફરોની સાથે રાજ્યના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પ્લેન ક્રેશની દુર્ધટના બાદ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 

  • Follow us on: