અમદાવાદના મેઘાણીનગરમાં ગુરુવાર (12 જૂન)ના રોજ પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે.મેઘાણીનગરમાં એરઈન્ડિયાનું પ્લેન ટેક ઓફ થયાના થોડી જ ક્ષણોમાં ક્રેશ થતા ભયાનક અકસ્માત બન્યો.પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડાના મહુધા તાલુકાના સિઘાલી ગામના બે લોકોના મોત થયા છે. મૃતક દિકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા.ખેડાના મહુધા તાલુકાના સિઘાલી ગામના પટેલ દંપતીનું પ્લેન ક્રેશમાં મોત થયું છે. પરિવારને પ્લેન ક્રેશમાં દંપતીના મોતની જાણ થતા પરિવાર તથા ગામમાં શોકનો માહોલ છવાયો છે.


સિઘાલી ગામના દંપતીનું પ્લેન ક્રેશમાં મોત
મહુધા તાલુકાના સિઘાલી ગામના પતિ પત્નીનું પ્લેન ક્રેશમાં મોત થયું છે. પરિવારને પ્લેન ક્રેશમાં દંપતીના મોતની જાણ થતા પરિવાર તથા ગામમાં શોકનો માહોલ છવાયો છે. પ્રવીણભાઈ પટેલ અને પત્ની રંજનબેન લંડન પુત્રને મળવા નીકળ્યા હતા. પુત્રને મળે તે પહેલા દંપતીને મોત મળતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ ઘટના ઘટતા પરિવારની પુત્રીઓ પિતાના ઘરે આવી પહોંચી અને પુત્ર પણ લંડન થી ભારત આવવા નીકળી ગયા છે.

લોકો જીવ બચાવવા માટે દોડાદોડ કરી રહ્યાં હતાં
અમદાવાદના મેઘાણીનગરમાં જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે BJ મેડિકલ કોલેજની હોસ્ટેલની બિલ્ડિંગને ટકરાયુ હતું.અચાનક બ્લાસ્ટ થતાં ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી. લોકો જીવ બચાવવા માટે દોડાદોડ કરી રહ્યાં હતાં.આ દરમિયાન એક કેર ટેકર બાળકીને બચાવવા માટે પહેલા માળેથી કૂદી હતી. માસુમ દીકરીનો જીવ તો બચી ગયો પણ હાલ તે સારવાર હેઠળ છે.

  • Follow us on: