પ્લેન દુર્ઘટનામાં વડોદરાના રાણા પરિવારની બે સગી બહેનોના મોત થયા છે. લંડન જતા પૂર્વે બંને બહેનો ખુબ ખુશ હતા. ભાવના બેનના પુત્ર સહિત પરિવાર અભ્યાસ સાથે લંડનમાં નોકરી કરે છે. દર વર્ષે ભાવનાબેન રાણા પોતાના પરિવારજનોને મળવા લંડન જાય છે. પ્રથમ વખત સૌથી મોટી બહેન આનંદીબેન રાણાને પણ સાથે આવવા તૈયાર કર્યા હતા. ઘરે આવતાની સાથે જ પ્લેન ક્રેશના મેસેજ મળ્યા એટલે તાત્કાલિક અમે અમદાવાદ જવા રવાના થયા હતા.


લંડન જતા પૂર્વે બંને બહેનો ખુબ ખુશ હતા

પ્લેન ક્રેશમાં મોટાભાગના લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા છે. આ કાળનો કોળિયો પરિવારના સ્વજનોને ભરખી ગયો હતો.પ્લેન ક્રેશની ઘટનામાં મૃતદેહો જોઈને કમકમાટી છૂટી જાય તેવા ભયાનક દ્રશ્યો હતા. 242 યાત્રીઓમાંથી 241 મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે.કેટલાયે લોકો પોતાના પરિવારને મળવા તો અમુક લોકો કામ અર્થે અને બીજા મુસાફરો પ્રથમ વખત જ ફ્લાઇટમાં બેઠા હતા.

પરિવારમાં શોકનો માહોલ
વડોદરાની બે બહેનોના પ્લેન ક્રેશમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આનંદીબેન રાણા લંડન જતા પૂર્વે ખુબ ખુશ હતા.તેમને પ્રથમ વખત જ પાસપોર્ટ કઢાવી વિઝા લીધા હતા. તો બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રુમમાં મૃતદેહોના ઢગલા જોવા મળ્યા છે અને સળગેલી હાલતમાં મૃતદેહો જોવા મળ્યા છે, મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે.


  • Follow us on: