અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ યાત્રા તેમના માટે અંતિમ સાબિત થઇ છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં ભૂતપૂર્વ સીએમ વિજય રુપાણીનું પણ નિધન થયુ છે. ત્યારે તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવામાં આવશે. તેમના નિવાસસ્થાને લોકોની અવર જવર શરુ છે. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી લંડનથી તેમના નિવાસસ્થાન પહોંચ્યા છે.


રાજકોટમાં નિકળશે અંતિમ યાત્રા

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પોતાના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. પરંતુ આ યાત્રા તેમના માટે અંતિમ સાબિત થઇ છે. વિમાન દુર્ઘટના વિજય રૂપાણી માટે કાળ સાબિત થઇ છે. તેમના નિધનથી રાજ્યમાં શોકનો માહોલ છે. રાજકોટમાં તેમના નિવાસસ્થાને લોકોની અવરજવર જોવા મળી રહી છે. રાજનીતિ સાથે જોડાયેલી હસ્તિઓ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. લંડનથી તેમના પત્ની અંજલિ પણ રાજકોટ આવી પહોંચ્યા છે. DNAના આધારે મૃતદેહ મળ્યા બાદ રાજકોટ લઈ જવાશે. અને ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  

વિમાન દુર્ઘટના બની અંતિમ યાત્રા

અમદાવાદના મેઘાણી નગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ હતુ. આ પ્લેન ટેક ઓફ કર્યાના ગણતરીના મિનિટમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ વિમાનમાં સવાર તમામ યાત્રીઓ પૈકી માત્ર એક જ યાત્રીનો જીવ બચ્યો હતો. બાકીના મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્લેન ક્રેશ થયા બાદ મેડિકલ કોલેજની મેસની ઇમારત સાથે અથડાયુ હતુ. અને તેમાં 20થી વધુ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. 

  • Follow us on: