અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે UPSC અને GPSC પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોના સન્માન માટે વિશેષ સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા. સમારોહ દરમિયાન UPSCમાં સફળ થયેલા 5 અને GPSCમાં ઉત્તિર્ણ થયેલા 1337 ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું.
ઉત્તિર્ણ થનાર ઉમેદવારોને CM ભૂપેન્દ્ર પટેલની ટકોર
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ સર્વિસ કેન્દ્ર માટે 5 કરોડ રૂપિયાનું અનુદાનની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ સહાયથી વધુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળશે. મુખ્યમંત્રીએ સફળ ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે સરકારી સેવા માત્ર પદ નથી, પરંતુ તે મોટી જવાબદારી છે. તેમણે ઉમેદવારોને ટકોર કરતા કહ્યું કે સરકારી અધિકારી તરીકે કામ કરતી વખતે પ્રજાને મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવી જોઈએ.













