અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કાર સળગાવવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી હતી. આ ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ગાંધીનગર LCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ જ્વેલર્સની દુકાનમાં પિસ્તોલ બતાવીને લૂંટ કરવાના ઈરાદાથી ફરી રહ્યા હતા. ત્યારે જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસેથી આ આરોપીઓની ધરપકડ કરી હતી.
મુખ્ય સૂત્રધાર ગૌરવ વાઘેલા હજુ પણ પોલીસ પકડથી દૂર













